રાજકોટ,
તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વધી રહેલા ક્રાઈમના રેસિયાને કાબૂમાં લેવા પોલીસ વિભાગમાં જબરા ફેરફાર કરતા હોય તેમ અગાઉ પણ અનેક પોલીસકર્મીની આંતરીક બદલી કર્યા બાદ આજે વધુ ૮ P.S.I ની આંતરીક બદલી કરી છે. જેમાં લીવ રીઝર્વ પર રહેલા એમ.એસ.મહેશ્ર્વરીને માલવીયાનગર, એચ.આર.હેરભાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જે.બી.પટેલને ભક્તિનગર તેમજ ભક્તિનગરના આર.એન.સાંકળીયાને સાયબર ક્રાઈમફમાં અને પી.બી.જેબલીયાને P.C.B માં યુનિવર્સિટી પો.સ્ટેશનના એમ.વી.રબારીને સાયબર ક્રાઈમમાં, મહિલા પો.સ્ટેશનના બી.પી.વેગડાને M.O.B માં અને M.O.B ના વી.સી.રંગપડીયાને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ